શિવાલયનું તત્વરહસ્ય ..

(શ્રી વિનોદભાઈ મંગળભાઈ માછી, જન્મ: ૧૯૬૩, પાનમ સિંચાઇ યોજના, ગોધરા (સિંચાઇ વિભાગ) ગુજરાત સરકારમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ધોરણ ૧૨ અભ્યાસ બાદ કૌટુંબિક આર્થિક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ અને તેમણે નોકરી ની શરૂઆત કરેલ. ઈશ્વરના ચિંતન અને તેમની પ્રાપ્તિના ખ્યાલમાં અનેક ગુરુઓ કર્યા અને છેવટે સદગુરુ બાબા હરદેવ સિંહજી મહારાજ માં તેમનું ધ્યાન ઠર્યું. ( નિરંકારી મિશન, દિલ્હીના વડા) પોતે કોઈ લેખક કે સાહિત્યકાર નથી, પરંતુ નાનપણ થી ધર્મશાસ્ત્રોના અધ્યન -અભ્યાસ દ્વારા જે પસંદ આવ્યું તેની નોંધ ટપકાવતા ગયાં, અને તેને લેખ સ્વરૂપે સંકલિત કર્યું. તેઓના લેખ નિરંકારી ગુજરાતી માસિક પત્રિકામાં નિયમિત રીતે પ્રકાશિત થાય છે. આ સિવાય ગુજરાત સમાચાર ની ધર્મલોક પૂર્તિમાં પણ અનેક લેખ પ્રકાશિત થયા છે. ગુજરાતી બ્લોગ જગતમાં Gujarati.nu અને Aksharnaad.com પર પણ તેમના લેખ, બ્લોગ પોસ્ટ તરીકે પ્રકાશિત થયા છે. તેઓનું માનવું છે કે આ બાબતમાં તેમનું કોઈ મહત્વનું યોગદાન નથી. સંતો ની કૃપાથી તેમના દ્વારા ફક્ત સંકલન જ કરવામાં આવેલ છે. 'દાદીમા ની પોટલી' પર નિયમિત રીતે લેખ મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી ના અંતરપૂર્વક્થી આભારી છીએ. ભવિષ્યમાં પણ તેઓ દ્વારા સંકલિત અન્ય લેખો આપણે અહીં માણીશું.)
પ્રત્યેક શિવાલયમાં નંદી..કાચબો..ગણેશ..હનુમાન..જલધારા..નાગ..જેવા રહસ્યમય પ્રતીક જોવા મળે છે. દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન..વાહન..પ્રતિક..માં સુક્ષ્મથભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે. શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે,તે સામાન્ય બળદ નથી. નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે. જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે,એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય. જેમ નંદીની દ્રષ્ટ્રિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને.. શરીરનું લક્ષ્ય આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ.
શિવનો અર્થ છેઃ કલ્યાણ.. તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો.. તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે. શરીર નંદીની જેમ આત્માભિમુખ બને.. શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ.. સ્થિર તથા દ્રઢ રહીએ.. એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.
નંદિ ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે. જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્મફ શરીરનું એટલે કે મનનું માર્ગદર્શન કરે છે. અમારૂં મન કાચબા જેવું કવચધારી.. સુદ્રઢ બનવું જોઇએ. જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને.. કલ્યાણનું ચિન્તન કરે.. આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે, એટલે કે મનની ગતિ.. વિચારોનો પ્રવાહ.. ઇન્દ્રિયોનાં કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય- આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે. કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી, પરંતુ શિવ તરફ જ જાય છે. અમારૂં મન પણ દેહાભિમુખ નહી,પરંતુ આત્માભિમુખ બનેલું રહે.. ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે.. શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ..
નંદી અને કાચબો બંન્ને જ્યારે શિવની તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બંન્નેમાં શિવરૂ૫ આત્માને પામવાની યોગ્યતા છે કે નહી..? તેની કસોટી કરવા માટે શિવ મંદિરમાં મુખ્ય દ્વારા ઉ૫ર બે દ્વારપાળ ઉભા છે. ગણેશ અને હનુમાન.. ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શ જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કે કલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે. ગણેશનો આદર્શ છે બુધ્ધિ અને સમૃધ્ધિનો સદઉ૫યોગ કરવો.. એ જ એમનો સિધ્ધાંત છે. તેના માટેના આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતિકો દ્વારા બતાવવામાં આવ્યા છે. જેમ કે અંકુશ- સંયમ.. આત્મ નિયંત્રણનું..કમળ- એ પવિત્રતા, નિર્લે૫તાનું.. પુસ્તક - એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા મોદક(લાડું) - એ મધુર સ્વભાવનું પ્રતિક છે. શિવ મૂષક જેવા તુચ્છને ૫ણ અ૫નાવે છે. આવા ગુણ આવવાથી જ આત્મદર્શન-શિવદર્શનની પાત્રતા પ્રમાણિત થાય છે.
હનુમાનજીનો આદર્શ છે - વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ. બ્રહ્મચર્યમય જીવન જ તેમનો મૂળ સિધ્ધાંત છે અને આ કારણે જ હનુમાનજી હંમેશાં શ્રી રામજીના કાર્યોમાં સહયોગી રહ્યા છે.. અર્જુનના રથ ઉપર વિરાજીત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવત્વ કે આત્મદર્શનની પ્રત્રતા પ્રાપ્ત્ થાય છે. ગણેશ હનુમાનજીની ૫રીક્ષામાં પાસ થયા ૫છી સાધકને શિવરૂ૫ આત્માની પ્રાપ્તિછ થાય છે, પરંતુ આટલો મહાન વિજ્ય જેને પ્રાપ્તન થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે કે હું મોટો છું.. શ્રેષ્ઠ છું. આવો અહંકાર ડગલેને ૫ગલે આત્મા-૫રમાત્માના મિલનમાં બાધક બની જાય છે.. આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું ૫ગથિયું ઉંચુ રાખવામાં આવે છે અને પ્રવેશદ્વાર ૫ણ નાનું રાખવામાં આવે છે, એટલે પ્રવેશદ્વારને ૫સાર કરીને નિજ મંદિરમાંના ઉંચા સોપાન ૫ર ૫ગ મુકવાના સમયે તથા અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી ૫ડતી હોય છે. મસ્તક ૫ણ નમાવવું ૫ડે છે.
સાધકનો અહંકારરૂપી અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર શિવત્વ (૫રમાત્મા)ના દર્શન થવા લાગે છે.. તમામ મંગલમય લાગવા માંડે છે પછી થયેલ આત્મજ્ઞાનના જેવું ૫વિત્ર અને પ્રકાશમય બીજું શું હોઇ શકે..? શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્મા જગત બહાર જ છુટી જાય છે, ત્યાર પછી પોતાનામાં કારણ જગતની.. આત્મ સ્વરૂ૫ની પ્રતિતિ થાય છે.. તે અવર્ણનીય છે.. શિવત્વભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે.
શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે. અહીં વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર..વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે. હિમાલય જેવું શાંત.. મહાન.. સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી.. તપસ્વી.. અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે. ભસ્મ - ચિત્તાભસ્મલે૫,આત્માનંદ-નિજાનંદની આનંદાનુભૂતિનું પ્રતિક છે. કાળો નાગ - કાલાતિત ચિર સમાધિભાવનું પ્રતિક છે.
ત્રિદલ.. બિલિપત્ર.. ત્રણ નેત્ર.. ત્રિપુંડ.. ત્રિશૂલ.. વગેરે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ - આ ત્રણને સમ કરવાનો સંકેત આપે છે. ત્રિકાય.. ત્રિલોક.. ત્રિગુણથી ૫ર થવાનો નિર્દેશ કરે છે. આંતરિક ભાવાવેશોને શાંત કરવા માટે સાધક ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સ્થાનમાં ત્રિકુટી.. સહસ્ત્રચક્ર.. સહસ્ત્રદળ કમળ.. અમૃતકુંભ.. બ્રહ્મ કલશ.. આજ્ઞા ચક્ર.. શિવ પાર્વતી યોગ - જેવા વર્ણનો દ્વારા સિધ્ધ સામર્થ્યની પ્રાપ્તિ.ની ક્ષમતા હોવાની ચર્ચા યોગશાસ્ત્રોમાં કહેવામાં આવી છે. વિવેક બુધ્ધિરૂપી ત્રીજું નેત્ર ભવિષ્યન દર્શન.. અતિન્દ્રિય શક્તિ તથા કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે. શિવનું રૂદ્રરૂ૫ એ અંદરના આવેશો-આવેગો જ છે, તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે. ત્રિદેવ એટલે બ્રહ્મા - વિષ્ણુ - મહેશને ૫ણ આ તમામ ત્રિ૫રીણામ ત્રયીયુક્ત પ્રતિકોથી બતાવ્યા છે .... અ - ઉ - મ આ ત્રણ અક્ષરોથી સમન્વિત એકાક્ષર ૐ માં ૫ણ આ ભાવ સમાયોજિત છે.
વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ.. શંખ.. ઘંટ.. ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કે આત્મસ્થ રહેવું.. બ્રહ્મમાં રત રહેવું.. એ જ વિશ્વ સંદેશ તેમના નાના પ્રતિકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે. શિવ ૫ર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતિક છે.. તે જ્ઞાન ગંગા છે. સ્વર્ગની ઋતુમ્ભરા પ્રજ્ઞા.. દિવ્ય બુધ્ધી.. ગાયત્રી અથવા ત્રિકાળ સંધ્યા .. જેની બ્રહ્મા-વિષ્ણુ - મહેશ ઉપાસના કરે છે.
શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેમની છાયાની જેમ અવસ્થિત માતા પાર્વતિ એ આત્માની શક્તિ છે. આમાં સંકેત એ છે કે એવા કલ્યાણમય.. શિવમય આત્માની આત્મશક્તિ ૫ણ છાયાની જેમ શિવનું અનુસરણ કરે છે. પ્રેરણા - સહયોગિની છે.
શિવાલયની જલધારા ઉત્તર દિશા તરફ વહે છે. ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્યકનું પ્રતિક છે. શિવમય કલ્યાણકામી આત્માનો જ્ઞાનપ્રવાહ.. ચિન્તન પ્રવાહ હંમેશાં ઉચ્ચ સ્થિર લક્ષ્યાની તરફ જ ગતિ કરે છે, તેનું લક્ષ્યક ધ્રુવની જેમ અવિચલ રહે છે. કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશામાંની દિવાલમાં ગંગાજીની પ્રતિમા જોવા મળે છે.. તેને સ્વર્ગીય દિવ્ય બુધ્ધિ.. ઋતુમ્ભરા પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવાં જોઇએ. જે બ્રહ્માંડમાંની અવિરત ચેતના છે. શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક ૫ર ૫ણ બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા..પ્રભુકૃપા અવિરત વરસતી રહે છે એવો વિશ્વાસ કરવો જોઇએ.
આમ, શિવાલય સ્થિત આ પ્રતિકો.. ચિન્હોના તત્વ રહસ્યનું ચિંતન કરીને ભાવનાથી ઓતપ્રોત બનેલ વ્યક્તિને શિવમય બનાવી શકાય તો તેમાં અમારા દર્શન પૂજન ઉપાસના.. વગેરેની યથાર્થ સાર્થકતા છે.
સાભાર - સૌજન્ય: વિનોદભાઇ એમ.માછી (નિરંકારી)
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.
e-mail: vinodmachhi@mail.com